Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

સુરતના અમરોલીમાં પરિણીતાને શારીરિક-માનસિક ત્રાસ ગુજારી આપઘાત કરવા મજબુર કરનાર પતિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ

સુરત:અમરોલી વિસ્તારની મારૃતિધામ સોસાયટીમાં ઘરેલું કામકાજ મુદ્દે શારિરીક-માનસિક ત્રાસ આપી આપઘાત કરવા મજબુર કરનાર પતિ વિરૃધ્ધ અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાય છે.

અમરોલી-ન્યુ કોસાડ રોડ સ્થિત મારૃતિધામ સોસાયટીમાં રહેતા બકુલ રમેશ બારૈયાના લગ્ન ડિસેમ્બર 2017માં ગોડાદરા આસપાસ મંદિર નજીક મહાપ્રભુનગરમાં રહેતા શંકર મગન સુનવિયાની પુત્રી દિવ્યા (ઉ.વ. 22) સાથે થયા હતા. બે વર્ષના લગ્નજીવન દરમ્યાન દિવ્યાને 9 માસનો પુત્ર માનવ છે. લગ્નના શરૃઆતના દિવસોમાં દિવ્યા પતિના વ્યવહારથી ખુશખુશાલ હતી. પરંતુ છ મહિના પછી બકુલે ઘરેલું કામકાજ મુદ્દે ઝઘડા કરવાનું શરૃ કર્યુ હતું અને પોતાના રૃમમાં લઇ જઇ શારિરીક-માનસિક ત્રાસ ગુજારતો હતો.

(5:31 pm IST)