Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

સૈયદના સાહેબનું સુરત આગમન

જસદણ તા. ૪: સુરત ખાતે મંગળવારે સાંજે દાઉદી વ્હોરા સમાજના ત્રેપનમાં હાઇ (સર્વોચ્ચ ધર્મગુરૂ) ડો. સૈયદના અબુ જાફરૂસ્સાદીક આલીકદર મુફદ્દલ સૈફૂદીન (ત.ઉ.શ.) નું મુંબઇથી આગમન થતાં ગુજરાતભરના તેમના અનુયાયીઓમાં ખુશાલીના ઘોડાપુર ઉમટયાં હતાં સુરતમાં તેઓએ પોતાના હજારોની સંખ્યામાં આવેલ અનુયાયીઓને દર્શન આપી તેઓ ડુમ્મસ ખાતે પધારી ગયાં હતાં.

વર્તમાન ધર્મગુરૂના સદ્દગત પિતા બુરહાનુદ્દીન સાહેબનો ૧૦૯ મી જન્મ જયંતિ અને પોતાનો પણ ૭૬મો જન્મ દિનની ઉજવણી આગામી તા. ૧૭ ડીસેમ્બરના રોજ થશે. આ સમારોહમાં લાખોની સંખ્યામાં દેશ વિદેશમાંથી વ્હોરા ભાઇ બહેનો અને બાળકો ઉપસ્થિત રહેશે. સુરતના ઝાંપા બજાર દેવડી ખાતે ભવ્ય સમારોહ યોજાશે. જેમાં વિવિધ ક્ષેત્રના મહાનુભાવો અને વડાઓ પણ હાજર રહેશે.

આ સમારોહમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી પણ હાજર રહે એવી શકયતા છે. સમારોહમાં જન્મોત્સવની શોભાયાત્રા નીકળશે. જેમાં વ્હોરા કોમની સંસ્કૃતિના દર્શન થશે. આ સમારોહ અંગે તૈયારીઓ થઇ રહી છે. ડો. સૈયદના સાહેબના સુરત આગમનથી અંદાજે ૧૯ દિવસનું રોકાણ છે. તેમના સાનીધ્યમાં સહેરા, નિકાહ, મિસાક, મજલીશ, જીયારત, નમાઝ, જીયાફત રસ્મે સૈફી જેવા કાર્યક્રમો પણ યોજાશે.

(11:49 am IST)