Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

સ્વ.આરતી પંડ્યાના સંસ્કૃત વિષયક ગ્રંથનું રાજયપાલ દ્વારા લોકાર્પણ

રાજકોટઃ રાજયપાલશ્રી ઓ.પી.કોહલી દ્વારા આંબેડકર યુનિવર્સિટીમાં આંતરરાષ્ટ્રીય પરિસંવાદનું ઉદ્ઘાટન કરવામાં આવેલ. આ પ્રસંગે પદ્મશ્રી વિષ્ણુભાઈ પંડ્યા (મો.૯૪૨૭૮ ૦૪૭૨૨)ના ધર્મપત્ની સ્વ.ડો.આરતી પંડ્યાના મહાનિબંધ 'વત્સરાજનું રૂપકષટ્ક'નું લોકાર્પણ કર્યું. આ પ્રસંગે યુનિ.ના કુલપતિ ડો.પંકજ જાની, શિક્ષણ સચિવ અંજુ શર્મા, નિયામક ડો.અમી ઉપાધ્યાય વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સ્વ.આરતી પંડ્યાનાં લખેલા- સંપાદિત બીજા સાત પુસ્તકો પ્રકાશિત થશે.

(3:38 pm IST)