Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

ધાનેરા પાલિકાના પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત

કોંગ્રેસના પ્રમુખ યુસુફખાન બેલીમ વિરુદ્ધ ૧૧ સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી

 

ધાનેરા : નવા વર્ષના આરંભે ધાનેરા નગરપાલિકાના કોંગ્રેસના પ્રમુખ યુસુફખાન બેલીમ વિરુદ્ધ ૧૧ સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી છે સભ્યોએ જણાવ્યું હતું કે, પ્રમુખ  નગર પાલિકા અધિનિયમમાં ઠરાવેલ ફરજો બજાવવામાં નિષ્ફ્ળ  અને અસમર્થ નીવડ્યા છે, સભ્યોને વિશ્વાસમાં લીધા વિના સતાનો દુરુપયોગ કરી મનસ્વી વહીવટ થકી નાણાંનો બગાડ કરી ભ્રષ્ટાચાર અચરેલ છે, નગરમાં સફાઈ આરોગ્ય જેવી પ્રાથમિક સવલતો આપવામાં પણ ઉણા ઉતર્યા છે તેવા આક્ષેપો કરી અવિશ્વાસની દરખાસ્ત લાવવાની ફરજ પડી છે તેમ ઉમેર્યું હતું. જેના કારણે પાલિકમાં નવજુનીના એંધાણને લઈ નગરમાં શિયાળાના આરંભે ગરમાવો છવાયો છે.

દરખાસ્ત રજૂ કરનાર સભ્યોમાં ગીતાબેન રામચંદભાઈ વાઘેલા, શારદાબેન જોરાભાઈ પ્રજાપતિ, સવદાનભાઈ જોધાભાઈ પટેલ,દજાભાઈ ભુદરાભાઈ તરકતરુબેન ઇશ્વરસિંગ રાજપૂત, જબરસિંહ સવાજી રાજપૂત, ઇન્દુબેન રાજેશકુમાર જોશી,જોશનાબેન યોગેશભાઈ ત્રિવેદી, કિરણબેન સંજયભાઈ સોની,ઉમાકાન્ત ગણપતલાલ મિસ્ત્રી, હીરાલાલ ન્યાલચંદ ઠક્કરનો સમાવેશ થાય છે

(11:49 pm IST)