Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

આણંદ નજીક પ્રાપ્તિ સર્કલ પાસે રાત્રીના સુમારે યુવાનને આંતરી માર મારી લૂંટ ચલાવનાર ત્રણ નરાધમોને પોલીસે ઝડપી પાડ્યા

આણંદ: શહેરના સરદાર પટેલ રાજમાર્ગ ઉપર આવેલા પ્રાપ્તી સર્કલ પાસે ગત ૧લી તારીખના રોજ રાત્રીના સુમારે વિદ્યાનગરના એક યુવાનને એલસીબીના પોલીસ જવાનની ખોટી ઓળખ આપીને માર મારીને રોકડા અને મોબાઈલની લૂંટ કરીને ફરાર થઈ ગયેલા ત્રણ શખ્સોને આણંદ શહેર પોલીસે ઝડપી લૂંટમાં ગયેલો કુલ ૩૧ હજારનો મુદ્દામાલ જપ્ત કરીને કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી હેમલભાઈ રમેશભાઈ પટેલ બાકરોલ રોડ ઉપર આવેલા નવરંગ એપાર્ટમેન્ટમાં રહે છે. ગત ૧લી તારીખના રોજ રાત્રીના દશેક વાગ્યાના સુમારે વિદ્યાનગર ખાતે આવેલા મિત્ર દેવાંગભાઈ ભટ્ટની દુકાને નવા વર્ષ નિમિત્તે મળવા માટે ઈટર્નો નંબર જીજે-૨૩, જે-૨૭૬૨નું લઈને ગયા હતા. મિત્રને મળીને આણંદ-વિદ્યાનગર રોડ, એપીસી સર્કલથી સંકેત તરફ જતા હતા ત્યારે પ્રાપ્તિ સર્કલ પાસે સાડા દશેક વાગ્યાના સુમારે ત્રણેક માણસો ઉભા હતા. જેઓએ ઈટર્નો ઉભુ રખાવ્યું હતુ અને પોતાની ઓળખ એલસીબીના માણસો તરીકે આપી હતી અને જણાવ્યું હતુ કે, રાતના લૂંટફાટ થાય છે, તેના કારણે અમોને વાહન ચેકીંગ માટે મુક્યા છે તેમ જણાવીને એકે પોતાનું નામ ઈર્શાદખાન પઠાણ, બીજાએ શાહીદ રઝાક શેખ અને ત્રીજાએ ભાવિક સોની હોવાનું જણાવ્યું હતુ.

(6:01 pm IST)