Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

સુરતના અમરોલીમાં પિતા સાથે ભંગાર વીણવા ગયેલ બાળકને બાઈક ચાલકે હડફેટે લીધું: પુત્રનું કમકમાટીભર્યું મૃત્યુ

સુરત: શહેરના અમરોલીમાં ગઇ કાલે સાંજે પિતા સાથે ભંગાર વીણવા ગયેલા બાળકને બાઇકચાલકે ટક્કર મારતા મોત થયુ હતું.

નવી સિવિલથી મળેલી વિગત મુજબ મોટા વરાછાના ચોપાટી પાસે ખુલ્લામાં  રહેતા 38 વષીૅય રાજુભાઇ પ્રતાપભાઇ સોલંકી તેના ત્રણ પુત્ર  વિક્રમ(--12),અર્જુન (--7) અને નાનો પુત્ર અમિત (--4)ને લઇને શનિવારે સાંજે  લારી લઇને ભંગાર વીણવા ગયા હતા.તે સમયે મોટા વરાછાના દુખીયાના દરબાર પાસે પુરપાટ હંકારતા બાઇક ચાલકે અમિતને ટક્કર મારતા  લોહિ લુહાણ હાલતમાં રોડ પર ઢળી પડયો હતો. તેને 108 એમ્બ્યુલન્સમાં નવી સિવિલર હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં આજે સવારે તે મોતને ભેટયો હતો. અમિત મૂળ દાહોદનો વતની હતો. તેનો  બે ભાઈ અને એક બહેન છે .તેના પિતા ભંગારના કામ સાથે સંકળાયેલા  છે. અંગે અમરોલી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

(5:57 pm IST)