Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

સુરતના અમરોલી-કોસાડમાં ભાભી-પતિ વચ્ચેના અનૈતિક સંબંધથી કંટાળી મધરાત્રે પરિણીતાએ આપઘાત કર્યો: પતિ વિરુદ્ધ દુષ્પ્રેરણાની ફરિયાદ દાખલ

સુરત:અમરોલી-કોસાડ આવાસમાં ભાભી અને પતિ વચ્ચેના પ્રેમસંબંધથી કંટાળી જઇ પરિણીતાએ મધરાત્રે ત્રીજા માળેથી ઝંપલાવી આપઘાત કરી લેવાના પ્રકરણમાં ભાભી અને પતિ વિરૂધ્ધ આપઘાતની દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાય છે. પોલીસે આપઘાત કરનાર પરિણીતાના પતિની ધરપકડ કરી પુછપરછ હાથ ધરી છે.

અમરોલી-કોસાડ આવાસ એચ-1 ના બિલ્ડીંગ નં. 56/બી/18 માં રહેતા જાકીર હુશેન શેખ (મૂળ રહે. શીવની, તા. જિ. અકોલા, મહારાષ્ટ્ર) વેલ્ડીંગ કામ કરે છે અને તેના લગ્ન ફરજાના સાથે સાત વર્ષ અગાઉ થયા હતા અને સંતાનમાં એક પુત્ર અને પુત્રી છે. ઘટનામાં જાકીર શેખે પત્ની ફરજાના અને બનેવી અકરમ વિરૂધ્ધ બહેન હીનાને આપઘાતની દુષ્પ્રેરણા આપવાની ફરિયાદ નોંધાવી હતી. અમરોલી પોલીસે અકરમની ધરપકડ કરી પુછપરછ હાથ ધરી છે

(5:49 pm IST)