Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

ઠાસરા તાલુકાના આગરવામાં અગાઉ થયેલ ઝઘડામાં ગંભીર રીતે ઘવાયેલ આધેડના મોતથી ચકચાર

ઠાસરા: તાલુકાના આગરવામાં દશ દિવસ અગાઉ રસ્તા બાબતે થયેલા ઝઘડામાં ચાર જણાએ ભેગા મળીને એક ઈસમને મારમાર્યો હતો. જેથી ચાર સામે પોલીસમાં ફરીયાદ થઈ હતી. ઈજાગ્રસ્ત ઈસમને હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. ત્યાંથી રજા આપી દીધાં બાદ એક અઠવાડિયા બાદ તેનુ મોત નિપજ્યું હતું. બનાવમાં પીએમ રિપોર્ટમાં મારના કારણે ઈન્ટરનલ ઈન્જરી થઈ હોઈ મોત નિપજ્યું હોવાનું બહાર આવતાં પોલીસે હત્યાના ગુનાની કલમનો ઉમેરો કરી ચારેય ઈસમોની ધરપકડ કરી છે.

 


મળતી માહિતી મુજબ ઠાસરા તાલુકાના આગરવામાં રહેતાં જયાબેન રાજેશભાઈ પરમારના ઘરે તા.૨૩--૧૯ ના રોજ તેમના કાકા સસરાં સાલમભાઈ બુધાભાઈ પરમાર (ઉં. ૫૫) આવ્યાં હતાં. તે વખતે ગામમાં રહેતાં મોહનભાઈ જાલમભાઈ તળપદા ગાળો બોલતાં બોલતાં તેમના ઘર આગળથી નીકળતાં હતાં. તે વખતે સાલમભાઈ પરમારે ગાળો બોલવાની ના પાડતાં બંને વચ્ચે ઝઘડો થયો હતો. ઝઘડામાં મોહનભાઈ તેમજ બે પુત્રો તેમજ ભત્રીજાએ સાલમભાઈ બુધાભાઈ પરમાર પર હુમલો કરી લાકડીથી કપાળ પર ઈજા કરી હતી. તેમજ ગડદાપાટુનો માર માર્યો હતો. જેથી સાલમભાઈને હોસ્પિટલમાં દાખલ કર્યાં હતાં.

(5:50 pm IST)