Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

વડોદરાના વાસણા રોડ પર કાયદાનું પાલન કર્યા વગર મકાનનું વેચાણ કરનાર શખ્સના પર્દાફાશ: સોસાયટીના રહેવાસીઓનો ભારે વિરોધ

વડોદરા: શહેરના વાસણા રોડ પર અશાંત ધારા હેઠળની કેસરબાગ સોસાયટીમાં ઉદ્યોગપતિ ગોરડિયા દંપતીએ પોતાનો બંગલો સોપારી અને ગુટખાના વેપારી ફૈઝલ ફૈઝલાણીને વેચવા સામે આસપાસની સોસાયટીના રહેવાસીઓએ કરેલા ભારે વિરોધ બાદ અન્ય સોસાયટીમાં પણ રીતે મકાનો વેચવાના કિસ્સા બહાર આવી રહ્યા છે.

નજીકમાં આવેલી શિવાશ્રય સોસાયટી અને વાસણા રોડ પરની વ્રજવિહાર સોસાયટીમાં પણ અશાંત ધારો લાગુ હોવા છતા લઘુમતિ કોમના પરિવારોને મકાન વેચવા સામે સોસાયટીના રહેવાસીઓ વિરોધ કરી રહ્યા છે.આજે શિવાશ્રય સોસાયટી અને વ્રજ વિહાર સોસાયટીના રહેવાસીઓએ પોતાની સોસાયટીમાં થયેલા મકાનના વેચાણ દસ્તાવેજ રદ કરવાની માંગ સાથે મોરચો લઈ જઈને કલેક્ટર કચેરીમાં રજૂઆત કરી હતી.

(5:40 pm IST)