Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

વડોદરાના આજવા-વાઘોડિયા રિંગ રોડ નજીક ત્રણ સોસાયટીને નિશાન બનાવી તસ્કરોએ 1.65 લાખની તસ્કરી કરી

વડોદરા: શહેરના આજવા- વાઘોડિયા રીંગ રોડ તરસાલી તથા તરસાલી નોવિનો રોડની ત્રણ સોસાયટીમાં ત્રાટકેલી ચોરટોળકી રૃપિયા .૪૦ લાખની મત્તા ચોરી ગઇ હતી.

આજવા- વાઘોડિયા રીંગરોડની સાંનિધ્ય ટાઉનશીપમાં રહેતા તુષાર રાજારામ ભાલેરાવ દુમાડ ચોકડી સાવલી રોડ ખાતે આવેલી જી.. પ્રોસેસ એન્જિનિયરીંગ ઇન્ડિયા પ્રા.લિ.માં આસી. મેનેજર છે. ગત તા.૩૦--૨૦૨૦ ના રોજ પરિવાર સાથે દાંડિયાબજાર ભાલેરાવ ટેકરી ખાતે રહેતા તેમના પિતાના ઘરે ગયા હતાં. તે દરમિયાન તેમના બંધ મકાનનું તાળુ તોડી ચોર ટોળકી સોના-ચાંદીના દાગીના તથા રોકડા ૩૦ હજાર રૃપિયા મળીને કુલ રૃપિયા .૬૫ લાખની મત્તા ચોરી ગઇ હતી. જે અંગે બાપોદ પોલીસ મથકમાં નોંધાઇ છે.

જ્યારે અન્ય એક બનાવમાં તરસાલી રવિપાર્ક સોસાયટીમાં રહેતા જનકકુમાર ચીમનલાલ બારોટના બહેન ભાનુમતી બ્રહ્મભટ્ટનું મકાન મોતનગરમાં છે. અને તેઓ છ મહિનાથી કેનેડા હોઇ તેમનું મકાન બંધ છે. આ બંધ મકાનના મુખ્ય દરવાજાનો નકુચો તોડીને ચોર ટોળકી રોકડા ૧૦,૬૦૦ રૃપિયા મળીને કુલ રૃપિયા ૩૮,૯૧૨ ની મત્તા ચોરી ગઇ હતી. જે અંગે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.

(6:18 pm IST)