Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

વિરમગામ ખાતે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડની બેઠક યોજાઈ

એપીએમસી વિરમગામ ખાતે આયોજિત બેઠકમાં અમદાવાદ જિલ્લાના તાલુકા અને નગર સંયોજકો ઉપસ્થિત રહ્યા

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : અમદાવાદ જીલ્લાના વિરમગામ ખાતે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડની બેઠક યોજાઈ હતી. એપીએમસી વિરમગામ ખાતે આયોજિત બેઠકમાં ગુજરાતના પનોતા પુત્ર ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 17 સપ્ટેમ્બરના રોજ જન્મદિવસ આવી રહ્યો છે તેના કાર્યક્રમ અંગેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ ઉપરાંત વરસાદ, વૃક્ષારોપણ, કોરોના વોરિયર્સ સન્માન સહિતના મુદ્દે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ. આ બેઠકમાં ઝોન સંયોજક હરીશભાઈ મચ્છર, જિલ્લા સંયોજક હિરેનભાઈ ખત્રી, ગીરીશભાઈ, અમદાવાદ જિલ્લાના તાલુકા અને નગર સંયોજકો ઉપસ્થિત રહ્યા હતા.તસવીરઃ રસીક કોળી (રૂપાવટી)

(5:48 pm IST)