Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

અમદાવાદના સેટેલાઈટના વેપારીનું 30 લાખનું સોનુ લઈને મેનેજર સુબ્રતાસામંતા ભાગી ગયો

મૂળ પશ્ચિમ બંગાળનો મેનેજર સ્વર્ણ શિલ્પનું 15 લાખનું સોનુ સહીત વેપારીનું 305 ગ્રામ સોનુ લઈને ફરાર થયાની ખાડિયા પોલીસમાં ફરિયાદ

અમદાવાદ: સેટેલાઈટના વેપારીનો મેનેજર આરવ બિલ્ડીંગ રાયપુરની દુકાનમાંથી રૂ.30 લાખનું સોનુ લઈ ફરાર થયો છે જેમાં માણેકચોકના સોનાના દાગીનાના હોલસેલના વેપારી સ્વર્ણ શિલ્પ જ્વેલર્સનું 15 લાખનું સોનુ હતું. ખાડીયા પોલીસે આ અંગે મેનેજર વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

સેટેલાઈટ શિવરંજની પાસે પારસકુંજ સોસાયટીમાં રહેતાં નિર્મળ બલરામ ખૂંટીયા આરવ બિલ્ડીંગ ઘાંચીની પોળ રાયપુર ખાતે નિર્મળ ઓર્નામેન્ટના નામે સોનાના દાગીના બનાવવાની દુકાન ધરાવે છે.

નિર્મળભાઈના ત્યાં પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લાના જગતપુર ગામનો સુબ્રતાસામંતા ગોપાલસામંતા(ઉં, 32) મેનેજર તરીકે નોકરી કરે છે.જ્યારે કારીગર તરીકે સમીર શાંતરા (ઉં,21) નોકરી કરે છે.નિર્મળભાઈ ગત બુધવારે તેમના જમાઈ પ્રસન્નજીતની ખબર કાઢવા માટે હોસ્પિટલ ગયા હતા.બાદમાં મેનેજર સુબ્રતોને સવારે 11 વાગ્યે ફોન કર્યો હતો પરંતુ તેનો ફોન બંધ આવતો હતો.બપોરે તેઓ દુકાને પહોંચ્યા તો લોક મારેલું હતું. બાજુની દુકાનમાં કારીગર કામ કરતો હતો.

કારીગર સમીર પાસેથી બીજી દુકાનની ચાવી લઈ નિર્મળભાઈએ તપાસ કરતા દુકાનમાંથી રૂ.30 લાખનું 605 ગ્રામ સોનુ ગાયબ હતું. આરોપી સુબ્રતો સામંતા મંગળવારે બપોરે 3.30 વાગ્યે દુકાનમાંથી માણેકચોકના હોલસેલ દાગીના વેપારી સ્વર્ણશિલ્પ જ્વેલર્સના માલીક નિર્મલભાઈએ આપેલું રૂ.15 લાખનું સોનુ અને નિર્મળભાઈનું 305 ગ્રામ સોનુ રૂ.15.25 લાખનું મળીને કુલ રૂ.30.25 લાખનું સોનું લઈ ફરાર થઈ ગયો હતો.

એક વર્ષથી મેનેજર તરીકે નોકરી કરતા સુબ્રતો સામંતા ફરાર થઈ જતાં ખાડીયા પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

(10:31 pm IST)