Gujarati News

Gujarati News

News of Tuesday, 4th September 2018

વડોદરામાં આંખની હોસ્પિટલમાં 42 વર્ષથી આંખની નિઃશુલ્ક સારવાર કરવામાં આવે છે

વડોદરાઃ હાલોલ નજીક આવેલા તાજપુરા સ્થિત શ્રી નારાયણ આઈ હોસ્પિટલમાં છેલ્લાં 42 વર્ષથી આંખના રોગનો નિ:શુલ્ક ઉપચાર કરવામાં આવી રહ્યો છે. આ સેવાયજ્ઞનો લાભ ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી આવનારા રોજના 1 હજારથી વધુ દર્દીઓ ઉઠાવે છે. જેમાંથી રોજ 200થી વધારે દર્દીઓ મહારાષ્ટ્ર,મધ્યપ્રદેશ અને રાજસ્થાનના હોય છે. ઉલ્લેખનીય છે કે, શ્રી નારાયણ આઈ હોસ્પિટલમાં છેલ્લાં 42 વર્ષમાં 4.40 લાખથી વધારે આંખનાં ઓપરેશન કરવામાં આ‌વ્યાં છે.

(3:36 pm IST)