Gujarati News

Gujarati News

News of Tuesday, 4th September 2018

હાર્દિક પટેલના ઉપવાસનો 11મોં દિવસ :ભાજપના નેતા યશવંતસિંહા અને શત્રુઘનસિંહા મળવા આવશે

યુથ કોંગ્રેસનાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રીનિવાસન અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતા પણ મુલાકાત કરશે

 

અમદાવાદ :હાર્દિક પટેલનાં આમરણાંત ઉપવાસનો આજે 11મો દિવસ છે. ત્યારે હાર્દિક પટેલની મુલાકાત લેવામાં રાષ્ટ્રીય કક્ષાનાં નેતાઓ આવવાનાં છે. હાર્દિક પટેલને મળવા યુથ કોંગ્રેસનાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રીનિવાસન આવશે. જયારે સાંજે 4.00 વાગ્યે ભાજપનાં બે દિગ્ગજ નેતાઓ શત્રુઘ્ન સિંહા અને યશવંત સિન્હા હાર્દિક પટેલને મળશે. તેઓ હાર્દિક પટેલનાં ઘરે જશે. તેમજ આજનાં દિવસે ગુજરાતનાં પૂર્વ મુખ્યપ્રધાન સુરેશ મહેતા પણ હાર્દિક પટેલની મુલાકાત કરવાનાં છે.

(1:23 pm IST)