Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

રાજ્યમાં કોરોનાનો કહેર: નવા 1020 કેસ પોઝીટીવ નોંધાયા : કુલ કેસનો આંક 65,704 :વધુ 25 લોકોના મોત : મૃત્યુઆંક 2534 થયો

સુરતમાં સૌથી વધુ 245 કેસ,અમદાવાદમાં નવા 153,વડોદરામાં 105 કેસ, રાજકોટમાં 88 કેસ,ભાવનગરમાં 55 કેસ,દાહોદ અને કચ્છમાં 23-23 કેસ,પંચમહાલમાં 22 કેસ,જૂનાગઢમાં 37 કેસ,ગાંધીનગરમાં 28 કેસ,નર્મદામાં 20 કેસ, અમરેલીમાં 18 કેસ અને જામનગરમાં 22 કેસ નોંધાયા : વધુ 898 દર્દીઓ સાજા થતા કુલ 48459 લોકોએ કોરોના સામે જંગ જીત્યો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો છે રોજ બરોજ કેસની સંખ્યામાં વધારો રહ્યો છે આજે વધુ 1020  કેસ પોઝિટિવ આવતા રાજ્યમાં કુલ કેસની સંખ્યા 65,704 થઇ છે જયારે આજે વધુ 25 લોકોના મોત નિપજ્યા છે રાજ્યમાં મૃત્યુઆંક 2534 થયો છે બીજીતરફ આજે વધુ 898 દર્દીઓ સાજા થતા કુલ 48459 લોકોએ કોરોના સામે જંગ જીત્યો છે જોકે રાજ્યમાં હાલમાં રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 14811 છે

   રાજ્યમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 14811 છે  આ એક્ટિવ કેસમાંથી 14724 દર્દી સ્ટેબલ છે જ્યારે 87દર્દી વેન્ટીલેટર પર છે. આજે વધુ 898 દર્દીઓ સાજા થતા કુલ 48459  લોકોએ કોરોના સામે જંગ જીત્યો છે જયારે કુલ 2534 લોકો કોરોનાના કારણે મૃત્યુ પામ્યા છે. જોકે વિવિધ શહેરો અને સરકારના આંકડામાં તફાવત આજે પણ યથાવત છે

   આજે નોંધાયેલા નવા 1020  કેસમાં પણ સુરત કોર્પોરેશનમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. સુરત કોર્પોરેશનમાં 194 કેસ છે જ્યારે અમદાવાદ કોર્પોરેશનમાં 153 કેસ છે. જયારે સુરત જિલ્લાના થઈને કુલ કેસ 245 થયા છે  અમદાવાદ જિલ્લામાં 153 કેસ નોંધાયા છે જયારે ,વડોદરામાં 105 કેસ, રાજકોટમાં 88 કેસ,ભાવનગરમાં 55 કેસ,દાહોદ અને કચ્છમાં 23-23 કેસ,પંચમહાલમાં 22 કેસ,જૂનાગઢમાં 37 કેસ,ગાંધીનગરમાં 28 કેસ,નર્મદામાં 20 કેસ, અમરેલીમાં 18 કેસ અને જામનગરમાં 22 કેસ નોંધાયાછે 

(7:57 pm IST)