Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

કોરોનાના સમયમાં સૌએ આ કામ કરવું જોઇએ

ટેકસટાઈલ જૂથ ચિરિપાલ ગ્રુપ દ્વારા યોજાઇ ગયો બ્લડ ડોનેશન કેમ્પ

અમદાવાદ સ્થિત ભારતના અગ્રગણ્ય ટેકસટાઈલ જૂથ ચિરિપાલ ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. જેમાં ચિરિપાલ ગ્રુપના કર્મચારીઓ સહિત ડિરેકટર્સે ભાગ લીધો અને રકતદાન કર્યું હતું. છેલ્લા એક દાયકા કરતા પણ વધુ સમયથી ચિરિપાલ ગ્રુપ દ્વારા દર વર્ષે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. જેમાંં સ્વાસ્થ્ય સુરક્ષાના નિયમોનું ચુસ્ત પણે પાલન કરવામાં આવ્યું હતું. તેમજ રકતદાતઓને ફ્રુટ,જયુસ, બિસ્કિટ વગેરે આપવામાં આવ્યા હતા. આ અંગે વિશાલ ચિરિપાલ જણાવ્યુંકે કોવિડ-૧૯ મહામારીના કારણે ઓછા પ્રમાણમાં રકતદાન થઈ રહ્યું છે, આવા સમયે બ્લડ ડોનેશન કેમ્પ દ્વારા એકત્ર કરાયેલુ લોહી જરૂરિયાતમંદ દર્દીઓ માટે જીવન રક્ષક સાબિત થઇ શકે છે. દરેક તંદુરસ્ત વ્યકિતએ સમયાંતરે રકતદાન કરવું જોઈએ.

(1:06 pm IST)