Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

નર્મદા જિલ્લામાં કોરોનાના ભય વચ્ચે રક્ષાબંધન સાદાઇ મનાવાઈ

બહેનો એ કોરોના વાયરસ જલદી નાબૂદ થાય તેવી પ્રાર્થના કરી

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : રાજપીપળા શહેર સહિત નર્મદા જિલ્લા માં કોરોના વાયરસ વચ્ચે સાદગીથી રક્ષાબંધનનો પર્વ ઉજવાયો જેમાં બહેને ભાઈને રાખડી બાંધી કોરોના જેવી મહામારીથી બચાવવા અને આ વાયરસ વહેલી તકે દેશ દુનિયા માંથી સંપૂર્ણ નાબૂદ થાય તેવી પ્રાર્થના પણ કરી હતી.
રાજપીપળાના ઘણા વિસ્તારો રેડ ઝોનમાં હોય જેથી આ વિસ્તારોમાં જવું મુશ્કેલ છે જ્યારે ઘણા સ્થાનિક લોકો કોરોના ના ભય ના કારણે રાજપીપળા શહેર માંથી અન્ય શહેરમાં સગાઓના ત્યાં ઉપડી જતા આ વર્ષે રક્ષાબંધન નો પર્વ ફિકો જોવા મળ્યો હતો.

(9:57 pm IST)