Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

નવસારીમાં દબાણ હટાવ કામગીરી ;લારીઓ-ગલ્લા હટાવાયા

 

નવસારીમાં વિજલપોર શહેરમાં ટ્રાફિક સમસ્યાના નિવારણને ધ્યાનમાં રાખીને વિજલપોર પાલિકા દ્વારા શહેરના મુખ્ય રસ્તાઓ ઉપર અડચણ રૂપ લારીઓને ઉંચકી લેવામાં આવી હતી. પાલિકા દ્વારા હાથ ધરાયેલા અભિયાનમાં સાંજ સુધીમાં અંદાજે 15 લારીઓ ઉંચકવામાં આવી હતી.

 સેનેટરી વિભાગ દ્વારા શહેરના આશાપૂરી માતાજી મંદિરથી લઇને વિજલપોર રેલ્વે ફાટક સુધી અને શિવાજી ચોકથી લઇ વિઠ્ઠલ મંદિર વિસ્તાર સુધીના મુખ્ય માર્ગ પર ટ્રાફિકમા ડચણ રૂપ અને ફૂટપાથ પર મુકવામાં આવેલી તથા ફિક્સ કરાયેલી લારીઓને ટ્રેક્ટરમાં ભરી લેવામાં આવી હતી.

(10:16 pm IST)