Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

પાલનપુર તાલુકાના ખોડલા ગામે બહારગામ ગયેલ પરિવારના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ 5.32 લાખની મતાનો હાથફેરો કર્યો

પાલનપુર: તાલુકાના ખોડલા ગામે અજાણ્યા તસ્કરોએ બહાર ગામ ગયેલા પરિવારના બંધ મકાનને નિશાન બનાવી રાત્રીના સમયે મકાનના તાળાં તોડી મકાનમાં રહેલા રોકડ રકમ અને સોના ચાંદીના દાગીના મળી ૫.૩૨ લાખના મુદ્દામાલની ચોરી કરી પલાયન થઈગયા હતા.

પાલનપુર તાલુકાના ખોડલા ગામે નિવૃત જીવન વિતાવતા પરથીભાઈ વાલાભાઈ વાઘેલા (દેવી પૂજક) ગત તા.૧૩ મેં ના રોજ પોતાના પરિવાર સાથે વડોદરા ખાતે રહેતા તેમના પુત્ર પાસે ગયા હતા. દરમ્યાન કોઈ અજાણ્યા તસ્કરોએ વડોદરા ગયેલા આ પરીવારના બંધ મકાનને નિશાન બનાવી રાત્રીના સમયે મકાનના તાળા તોડી મકાનમાં રહેલ તિજોરી કબાટ અને બરણી માં રહેલ રૃ.૪.૫૦ લાખ રોકડ તેમજ  રૃ.૩૦ હજારની કિંમતના એક કિલો ચાંદીના સાંકળા, રૃ.૨૨૫૦૦ ની કિંમતની ૭૫૦ ગ્રામ ચાંદીની હાથ જોડ, રૃ.૧૫ હજારની કિંમતના ૫૦૦ ગ્રામ ચાંદીની હાંસડી,રૃ.૨૦ હજારની કિંમત ની એક તોલા સોનાની બે જોડ સોનાની બુટ્ટી,રૃ.૧૦ હજારની કિંમતની અડધા તોલા સોનાની કાનમાં પહેરવાની હેર મળી કુલ. ૫.૩૨.૫૦૦ના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા હતા.

(4:49 pm IST)