Gujarati News

Gujarati News

News of Thursday, 4th June 2020

લોકડાઉનના બદલે MP માં ધારાસભ્યો તોડયા કોરોનાના કહેર વચ્ચે ગુજરાતમાં MLAની ખરીદી

કોંગ્રેસના ધારાસભ્યો ખેડવવા મામલે મોઢવાડીયાના પ્રહારઃ લોકો માફ નહી કરે

રાજકોટ, તા., ૪: રાજયસભાની ચુંટણી ફરી યોજાતાની સાથે જ ભાજપે કોંગ્રેસના બે ધારાસભ્યો ખેડવતા કોંગ્રેસની છાવણીમાં ભારે હતાશા ફેલાઇ છે જયારે ભાજપ છાવણી ગેલમાં આવી ગઇ છે ત્યારે કોંગ્રેસના પુર્વ પ્રદેશ પ્રમુખ અર્જુનભાઇ મોઢવાડીયાએ ભાજપ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું છે કે લોકો વચ્ચે રહેવાની પરિસ્થિતિમાં ભાજપના નેતાઓ પ્રજાદ્રોહ કરી ધારાસભ્યોની ખરીદીમાં વ્યસ્ત હોય છે પ્રજા આવા લોકોને માફ નહી કરે.

અર્જુનભાઇના જણાવ્યા મુજબ મધ્યપ્રદેશમાં લોકડાઉનની પરિસ્થિતિનું નિર્માણ કરી લોકોની મદદે જવાની વેળાએ ભાજપના લોકો ધારાસભ્યોની ખરીદીમાં રચ્યા પચ્યા રહી પ્રજા દ્રોહ કરી વિશ્વાસઘાતના વાતાવરણ વચ્ચે સતા મેળવી હતી.

મોઢવાડીયાએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે મધ્યપ્રદેશમાં વિષમ પરિસ્થિતિમાં તોડ-ફોડ કરનાર ભાજપ નેતાઓએ ગુજરાતમાં પણ લોકો વચ્ચે જવાના બદલે અને પ્રજાના આંસુઓ લુછવાના બદલે કોરોનાના કહેર વચ્ચે ધારાસભ્યોની ખરીદીના હાટડા માંડયા હતા.

અર્જુનભાઇએ એવો તીખો પ્રહાર કર્યો હતો કે ભારતની જનતાને ઇતિહાસમાં કયારેય પણ આવા લોકો મળવાના નથી ગુજરાતની જનતા આવા લોકોને કયારેય માફ નહી કરે.

મોઢવાડીયાએ એમ પણ જણાવ્યું હતું કે બે ધારાસભ્યોને ખેડવવા છતા કોંગ્રેસને  કોઇ ફરક પડવાનો નથી.

(4:16 pm IST)