Gujarati News

Gujarati News

News of Thursday, 4th June 2020

ગુજરાતમાં પ્રવેશ માટે પાસની જરૂર નથીઃ ગૃહ ખાતાની જાહેરાત

ગાંધીનગરઃ ગુજરાતમાં પ્રવેશ માટે હવે અન્ય રાજયોના લોકોને કોઇપણ પ્રકારના પાસ લેવાની જરૂર નહિ રહે. પાસ વિના જ ગુજરાતની સીમામા પ્રવેશી શકશે. ગૃહ વિભાગે આ અંગેનો આદેશ પણ જાહેર કર્યો છે. જો કે ગુજરાત બોર્ડરે યાત્રીકોએ પોતાની સ્વાસ્થ્યની તપાસ કરાવવાની રહેશે.

ગૃહ વિભાગના આદેશમાં જણાવ્યુ છે કે, એક રાજયમાંથી બીજા રાજય અને ગુજરાતમાં કોઇપણ જગ્યાએ જવા નિયંત્રણ નથી. તેના માટે પરવાનગી જરૂર નથી. ફકત તેમની ચેકપોસ્ટ ઉપર સ્વાસ્થ્યની તપાસ કરાશે. અને કોરોનાના લક્ષણ નજરે આવશે તો સારવાર અપાશે. ગૃહ ખાતુ અને સ્વાસ્થ્ય વિભાગ સમન્વય કરી ચેકપોસ્ટ ઉપર હેલ્થ સ્ક્રીનીંગ  વ્યવસ્થા કરશે.

(3:21 pm IST)