Gujarati News

Gujarati News

News of Thursday, 4th June 2020

સુરતમાં અચાનક કોરોના વકરતા ૪૩૦૦૦ મકાનોમાં ૧.૫ લાખ લોકો ફરજિયાત કવોરન્ટાઇનઃ લોકડાઉનની છૂટછાટ ભારે પડશે ?

સુરતમાં કોરોના વાયરસે અચાનક ઉપાડો લીધો છે.  બુધવારે સાંજે ક સુધીમાં ૮૨ નવા કેસ નોંધાયા હતા. પરંતુ રાત્રે ૮.૩૦ સુધીમાં નવા ૧૪ કેસ ઉમેરાતા સુરતમાં ૨૮ કલાકમાં ૯૨ નવા પોઝિટવ કેસ નોંધાયા હતા. કોરોના વકર્યો છે, ત્યાં ડિંડોલીની ૫૬, ગોડાદરા વિસ્તારની ૭૮ અને એકે રોડની ૨૦ વસાહતોમાં ૪૩,૦૦૦ જેટલા દ્યરોને કવોરન્ટીન કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. અહીં ૧.૫ લાખથી વદ્યુ લોકો રહે છે. આ વિસ્તારો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરાશે.

(3:21 pm IST)