Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

આંકલાવમાં દોઢેક મહિના પહેલા અકસ્માતમાં અવસાન પામેલ પાંચ વર્ષના પુત્રના વિયોગમાં પિતાએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી જવા પામ્યો

આંકલાવ:ખાતે રહેતા એક ૩૭ વર્ષીય શ્રમિક યુવાને દોઢેક મહિના પહેલા અકસ્માતમાં અવસાન પામેલા પાંચ વર્ષના પુત્રના આઘાતમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી છે. આ અંગે આંકલાવ પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર આંકલાવના રૂપણી માતાના મંદિર પાસે બાલાભાઈ ગમાનભાઈ મહિડા (ઉ. વ. ૩૭) રહેતા હતા તેઓને ચાર સંતાનો હતા. જેમાં ૫ વર્ષ પહેલા એક પુત્રનું અવસાન થયું હતુ. ત્યારબાદ દોઢેક મહિના પહેલા જ પાંચ વર્ષના નાના પુત્રનું અકસ્માતમાં મોત થયું હતુ. જેને લઈને તેઓ ગુમસુમ થઈ ગયા હતા અને ટેન્શનમાં જ રહેતા હતા.

(5:36 pm IST)