Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

સુરત શહેર પોલીસ દ્વારા 226 જેટલા વ્યાજખોરો સામે કેસ કરાયા : 291 આરોપીઓને ઝડપી લીધા

- ઉપરાંત 15 જેટલા આરોપી સામે પાસા હેઠળ પણ કાર્યવાહી

સુરત શહેર પોલીસ દ્વારા લોકો વ્યાજખોરના ચક્કરમાં ન ફસાય એટલા માટે લોન મેળવવામાં લોકોને મદદ કરવા લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું . ત્યારબાદ આજે લોન મેળાના લાભાર્થીઓને ચેક વિતરણ કરવાનો કાર્યક્રમ માં સુરત શહેર પોલીસ દ્વારા કહેવામાં આવ્યું હતું કે સુરત શહેર પોલીસ દ્વારા 226 જેટલા કેસ વ્યાજખોરો સામે કરવામાં આવ્યા છે અને 291 આરોપીઓને પકડવામાં આવ્યા છે. આ ઉપરાંત 15 જેટલા આરોપી સામે પાસા હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવી છે. તો લોકોને આશ્વાસન આપતા સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમર દ્વારા કહેવામાં આવ્યું હતું કે, નાગરિકોને હેરાન કરનારને બક્ષવવામાં આવશે નહીં.

(9:47 pm IST)