Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

અમદાવાદમાં જિલ્લા કક્ષાનો ‘સ્વાગત કાર્યક્રમ’ ૨૩ ફેબ્રુઆરી ગુરુવારના રોજ અમદાવાદ જિલ્લા કલેકટર કચેરી યોજાશે

લોકોની સુખાકારી વધારવા માટે લોક ફરિયાદોનું સમયસર અને અસરકારક નિરાકરણ થાય તે માટે જિલ્લા તંત્ર દ્વારા “સ્વાગત કાર્યક્રમ”નું આયોજન થાય છે

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : અધિક નિવાસી નાયબ કલેકટરની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર લોકોની સુખાકારી વધારવા માટે લોક ફરિયાદોનું સમયસર અને અસરકારક નિરાકરણ થાય તે માટે જિલ્લા કક્ષાએ દર માસના ચોથા ગુરૂવારે જિલ્લા સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.

   ફેબ્રુઆરી મહિનાનો જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ ૨૩ ફેબ્રુઆરી ગુરુવારના રોજ અમદાવાદ જિલ્લા કલેકટર કચેરી ખાતે યોજાશે.
  તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ અરજદારોએ જિલ્લા સ્વાગત કાર્યક્રમ અંતર્ગત તેમના પ્રશ્નો અને ફરિયાદો ૧૦ ફેબ્રુઆરી સુધીમાં કલેક્ટર કચેરી અમદાવાદ મોકલી આપવા અનુરોધ કરવામાં આવે છે. જેથી તેનો સમાવેશ જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં કરી તેનો આખરી નિકાલ કરી શકાય.

(7:35 pm IST)