Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

વડોદરા:હાલોલ તાલુકાના અંબાવ ગામની યુવતી સાથે લગ્ન કરી વાઘોડિયાના કામલી ગામના યુવાને લગ્ન બાદ શારીરિક માનસિક ત્રાસ આપી પરિણીતાને મોતને ભેટવા મજબુર કરતા પોલીસ ફરિયાદ

હાલોલ:તાલુકાના અંબાવ ગામે રહેતા પ્રેમીલાબેન સનાભાઇ પરમારની દીકરી અનિતાબેન ના લગ્ન ચાર વર્ષ પૂર્વે વાઘોડિયા તાલુકાના કામલી ગામે થયા હતા ત્યારબાદ છેલ્લા થોડાક સમયથી પતિ અજય પરમાર કોઈ કામ ધંધો કરતો નહીં હોવાથી પત્ની સાથે ઝઘડો કરતો રહેતો હતો એટલું નહીં તેના માતા-પિતા ભાઈલાલભાઈ મોતીભાઈ પરમાર અને તારા બેન ભઈલાલ ભાઈ પરમાર પણ અનિતાબેન ને શારીરિક-માનસિક ત્રાસ આપતા રહ્યા હતા. જેથી અનિતાબેન કંટાળી ગયા હતા અને માતા પ્રેમીલાબેન ને બે દિવસ અગાઉ ફોન કરીને મને સાસરી માંથી પરત લઇ જાવ કારણ કે તેઓ મને ત્રાસ આપી રહ્યા છે. માતાએ તેને સાંત્વના આપી પિયરમાં પરત લઇ આવવા જણાવ્યું હતું.

બે દિવસ બાદ માતા અને અનિતાબેન નો ભાઈ સાસરીમાં લેવા જવાના હતા. તે અગાઉ ગઈકાલે સવારે અનિતાબેન ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાની જાણકારી આપી હતી. જેથી માતા પ્રેમીલાબેન દીકરીના ઘરે દોડી ગયા હતા.

ઘટના બાદ માતા પ્રેમીલાબેન પરમારે વાઘોડિયા પોલીસ માં દીકરી અનિતાબેન આપઘાત કર્યો છે તે માટે જવાબદાર અજય પરમાર ભાઈલાલભાઈ પરમાર અને તારા બેન હોવાની પોલીસમાં ફરિયાદ આપી છે.

અંગે વાઘોડિયા પોલીસે આપઘાતના કિસ્સા અંગે જવાબદાર પતિ અને સાસુ સસરા વિરૂદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

(5:18 pm IST)