Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

રાજ્યસભાની ચૂંટણી જાહેર : અભયભાઈ ભારદ્વાજ અને અહેમદભાઈ પટેલના નિધનથી ખાલી પડેલી બેઠકો પર 1 માર્ચે ચુંટણી યોજાશે

સાંજે 5 કલાક મતગણતરી કરી પરીણામ જાહેર કરવામાં આવશે

અમદાવાદ ; ગુજરાતમાં એક તરફ સ્નાનિક સ્વરાજની ચુંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે ત્યારે  રાજ્યસભાના બાય ઇલેક્શનની આજે ઘોષણા કરવામાં આવી છે. આ ચુંટણી 1 માર્ચે યોજાશે. મહત્વપૂર્ણ છે કે કોંગ્રેસના અહેમદ પટેલ અને ભાજપના અભયભાઈ ભારદ્વાજના નિધનના પગલે ખાલી પડેલી બેઠકો માટે 1 માર્ચે બંને બેઠકો માટે ચૂંટણી યોજાશે. આ ચુંટણીમાં 1 માર્ચે જ મતદાન થશે અને સાંજે 5 કલાક મતગણતરી કરી પરીણામ જાહેર કરવામાં આવશે

(12:19 pm IST)