Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

અધિક કલેકટર સંજય મોદીને આઇ.એ.એસ. કેડરમાં બઢતી

રાજકોટ,તા. ૪: ગુજરાત નાગરિક પુરવઠા નિગમમાં જનરલ મેનેજર તરીકે કાર્યરત અધિક કલેકટર શ્રી સંજય કે. મોદીને ભારત સરકારે જી.એ.એસમાંથી આઇ.એ.એસ. કેડરમાં બઢતી આપતો હુકમ કરતા તેમના પર અભિનંદન વર્ષા (મો. ૯૮૨૫૯ ૭૭૬૬૦) થઇ રહી છે.

શ્રી એસ. કે. મોદી અગાઉ લીંબડીમાં પ્રાંત અધિકારી, જૂનાગઢમાં નિવાસી અધિક કલેકટર, ગીમ સોમનાથમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ગુજરાત બાળ અધિકાર આયોગમાં સચિવ વગેરે પદ પર રહી ચૂકયા છે. મગફળી, ચણા સહિતની ખેત ઉપજની ટેકાના ભાવે ખરીદીની રાજ્ય વ્યાપી વ્યવસ્થામાં તેમની ચાવીરૂપ ભૂમિકા રહી છે. તેઓ ઇજનેરી ક્ષેત્રે સ્નાતક અને મુળ ભરૂચ પંથકના વતની છે.

(10:38 am IST)