Gujarati News

Gujarati News

News of Tuesday, 4th February 2020

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીએ ત્રીજા માળેથી છલાંગ લગાવતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત

સુરત: શહેરની નવી સિવિલ હોસ્પિટલમાં ત્રીજા માળે વોર્ડમાં દાખલ દર્દીએ આજે સાંજે ગેલેરીમાં જઇને નીચે છંલાગ મારતા ઇજા થતા સારવાર માટે દાખલ કર્યો છે.

રાંદેરમાં મોરાભાગળ પાસે ધોબીતળાવ પાસે રહેતો 30 વર્ષીય ભરત રમેશ રાઠોડને  પાંસણીમાં દુઃખાવો થતો હોવાથી શનિવારે સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ત્રીજા માળે વોર્ડમાં દાખલ કર્યો હતો. આજે સાંજે વોર્ડની ગેલરીમાં તે ગઇને નીચે કુદી પડયા હતો. જેના લીધે ત્યાં નાસભાગ થઇ જવા પામી હતી. તેને ઇજા થઇ હોવાથી તરત સારવાર માટે ટ્રોમા સેન્ટરમા ખસેડાયો હતો. ત્યાં ડોકટરે તેને સારવાર શરૃ કરી હોવાનું સુત્રો જણાવ્યુ હતુ.

(5:42 pm IST)