Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

ગાંધીધામ-ઇંદોરની નવી ટ્રેન શરુ :અમદાવાદમાં મળ્યું સ્ટોપેજ

ઉજ્જેન, રતલામ, દાહોદ,નડિયાદ,વિરમગામ અને સામખિયાલી સ્ટેશનો પર સ્ટોપ થશે.

અમદાવાદઃ વેસ્ટર્ન રેલવે દ્રારા ગાંધીધામ-ઇન્દોરની નવી સાપ્તાહિક ટ્રેન શરૂ કરાઈ છે  જે ટ્રેન વાયા અમદાવાદ થઇને જશે આ રૂટ પર હાલમાં ગાંધીનગર-ઇન્દોર વચ્ચે એક જ ટ્રેન છે, નવી ટ્રેન શરૂ થતા હજારો મુસાફરોને રાહત થશે.

  આ ટ્રેન દર સોમવારે ગાંધીધામથી સાંજે 5:40 વાગે રવાના થશે અને બીજા દિવસે સવારે 8:50 વાગે અમદાવાદ અને 11:05 વાગે ઇન્દોર પહોંચશે, તેવી જ રીતે ઇન્દોરથી દર રવિવારે રાતે 10:25 વાગે રવાના થઇ અમદાવાદ સવારે 8:25 વાગે અને ગાંધીધામ બપોરે 2:10 વાગે પહોંચશે.

આ ટ્રેન વાયા ગોધરા- આણંદ થઇને ચાલશે જેમાં બંને દિશાઓમાં ઉજ્જેન, રતલામ, દાહોદ,નડિયાદ, અમદાવાદ,વિરમગામ અને સામખિયાલી સ્ટેશનો પર સ્ટોપ થશે.

(12:46 am IST)