Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

આહીર રેજિમેન્ટની માંગ સાથે ભાલકાતીર્થથી પ્રારંભ થયેલી સ્વાભિમાન યાત્રા દિલ્હી પહોંચી

સંરક્ષણ મંત્રાલય,ગૃહ મંત્રાલય અને વડાપ્રધાન અને રાષ્ટ્રપતિને થશે રજૂઆત

અમદાવાદ :આહીર રેજિમેન્ટની માંગ સાથે ભાલકાતીર્થથી શરુ કરાયેલ સ્વાભિમાન યાત્રા દિલ્હી પહોંચી છે આંદોલનકારી પ્રવિણ રામ દ્વારા આહીર રેજીમેન્ટના મુદે ભાલકાતીર્થથી કાઢવામાં આવેલી યાત્રાએ 14માં દિવસે વીશાળ જનસંખ્યા અને કાફલા સાથે દિલ્હી તરફ કૂચ કરી છે

  લડત ચલાવી રહેલા પ્રવિણ રામનું કહેવું છે કે આવનારા દિવસોમાં લડત દેશવ્યાપી બનશે અને સરકાર આંદોલનના માર્ગે નહીં સમજે તો સમગ્ર ભારતનો અંદાજીત 26 કરોડ આહીર સમાજ વોટની તાકાત પણ બતાવશે.આ સિવાય સંરક્ષણ મંત્રાલય,ગૃહ મંત્રાલય અને પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિને આહિર રેજીમેન્ટ મુદે થશે રજૂઆત કરવામાં આવશે.

(10:48 pm IST)