Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

અમદાવાદના સરદારનગરમાં વેપારીનું અપહરણ કરી 25 લાખની માંગણી કરનાર ચાર શખ્સોને ક્રાઇમ બ્રાંન્ચે રાજસ્થાનથી ઝડપ્યા

અમદાવાદ: સરદારનગરના કલરના વેપારીનું અપગરણ કરીને ૨૫ લાખની ખંડણી માંગનારા ચાર શખ્સોની ક્રાઈમ બ્રાંચે રાજસ્થાનથી ધરપકડ કરી હતી. આરોપીઓે વેપારીના ભાગીદારેને ફોન કરીને ખંડણી માંગતા અપહરણનો બનાવ બહાર આવ્યો હતો. વેપારીના જીવને જોખમ હોવાથી પોલીસે અપહરણકારોને પૈસા પહોંચાડી દીધા બાદ તેમને ઝડપી લીધા હતા. આ બનાવની વિગત મુજબ સરદારનગર નોબલનગરમાં રહેતા હનુમાનસિંગ લાદુસિંગ રાજપુત (૪૫) માતેશ્વરી પેઈન્ટ નામની કલરની દુકાન ધરાવે છે. ૨૮ જાન્યુઆરી ૨૦૧૯ના રોજ રાત્રે ૮ વાગ્યે હનુમાનસિંગ દુકાન બંધ કરીને બાઈક પર ઘરે જઈ રહ્યો હતો. દરમિયાન આઈ ટેન કારમાં આવેલા શખ્સો તેમનું અપહરણ કરી ગયા હતા. બીજીતરફ હનુમાનસિંગ ઘરે પરત ન ફરતા તેમના પરિવારમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું હતું. 

(4:34 pm IST)