Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

સાબરમતી નદીમાં વર્ષ ૨૦૧૮માં ૧૨૧ લોકોએ કર્યા આપઘાત

અમદાવાદ : રાજયમાં દિવસે દિવસે અપઘાતના પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે અમદાવાદની સાબરતમી નદીમાં સ્યુસાઈડ કરેલા લોકોના આંકડા સામે આવ્યા છે. આ આંકડા પ્રમાણે શહેરની સાબરમતી નદી સ્યુસાઈડ પોઈન્ટ બની છે. સાબરમતી નદીમાં ૨૦૧૮માં ૧૫૮ લોકોએ આપઘાતના પ્રયાસ કર્યા હતા.જેમાંથી ૧૨૧ લોકોના મોત થયા છે. જયારે ફાયર બ્રિગેડ દ્વારા ૩૭ લોકોને બચાવવામાં આવ્યા. તંત્ર દ્વારા સાબરમતી બ્રિજ પર લોખંડની જાળી લગાવવામાં આવી છે છતાં પણ આપઘાતના કિસ્સાઓમાં ઘટાડો થયો નથી.

તંત્ર દ્વારા પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવે તો આપદ્યાતના પ્રયાસો અટકાવી શકાય છે. આ સાથે જ તંત્ર દ્વારા સાબરમતી નદી પાસે તરવૈયાની ટીમના પ્રમાણમાં પણ વધારો કરવો ખુબ જ જરૂરી છે.

(4:04 pm IST)