Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

સુરતના ઉઘનામાં બદલી થવાના ભયથી એસટી બસના કંડકટરે ફાસો ખાઈ જીવન ટુંકાવતા અરેરાટી

સુરત: શહેરના ઉધનામાં ગઈકાલે રાત્રે આધેડે ઘરે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. ચાર માસ પહેલા એસટી બસના કંડકટરની ગોધરા ખાતે બદલી થઈ ગઈ હતી. જેના ટેન્શનમાં રહેતા હોવાથી તેમણે પગલું ભર્યું હતું.

સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ ઉધના વિસ્તારમાં આવેલા હરિ ઓમ એપાર્ટમેન્ટમાં રહેતા 54 વર્ષીય મનોજભાઈ પદમનાથભાઈ ચૌધરીએ ગઈકાલે રાત્રે ઘરમાં છતના હુક સાથે દોરી બાંધી ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું.

(5:18 pm IST)