Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

અમદાવાદમાં નવા 15 પોઝિટિવ કેસ સહીત મહાનગરોમાં કોરોનાનો ભરડો :રાજ્યમાં નવા 45 પોઝીટીવ કેસ નોંધાયા :વધુ 45 દર્દીઓ સાજા થયા:આજે એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી : કુલ મૃત્યુઆંક 10.094 :કુલ 8.17.203 લોકોએ કોરોનાને મ્હાત કર્યો : આજે વધુ 3.90.154 લોકોનું રસીકરણ કરાયું

અમદાવાદમાં 15 કેસ, વડોદરામાં 8 કેસ,સુરતમાં 7 કેસ, આણંદમાં 3 કેસ, નવસારી. વલસાડ અને રાજકોટમાં 2-2 કેસ, ભાવનગર,ગાંધીનગર,જામનગર,ખેડા, મહેસાણા અને પોરબંદરમાં 1-1 કેસ નોંધાયો :: હાલમાં 318 એક્ટીવ કેસ: શહેર જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે, કોરોનાના નવા કેસમાં સતત ઘટાડો થતા રાહતની લાગણી અનુભવાઈ છે રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી 50થી ઓછા નવા કેસ નોંધાઈ રહ્યાં છે ત્યારે ઘણા મહિના બાદ કોરોના કેસમાં મોટો ઉછાળો નોંધાયો છે, આજે નવા 45 પોઝીટીવ કેસ નોંધાયા છે આજે વધુ 45 દર્દીઓ રિકવર થયા છે

 રાજ્યના આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીને પગલે છેલ્લા ઘણા દિવસોથી  નવા કેસની સંખ્યા સતત ઓછી  થઇ રહી છે ત્યારે રાજ્યમાં દિવાળી બાદ કોરોના કેસમાં વધઘટ જોવા મળે છે

 રાજ્યમાં આજે કોરોનાના નવા 45 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 45 દર્દીઓ સ્વસ્થ થયા છે અત્યાર સુધીમાં કુલ 8.17.203 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં  કોરોનાથી એકપણ  દર્દીનું મૃત્યુ થયું નથી,,રાજયમાં કુલ મૃત્યુઆંક 10.094 થયો છે રાજ્યમાં રિકવરી રેટ 98.74 ટકા થયો છે 

 રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન છે આજે રાજયમાં વધુ 3.90.154 લોકોનું રસીકરણ કરાયું છે આ સાથે રાજયમાં કુલ 8.22.93.857 રસીકરણ  સંપન્ન થયું છે

   રાજ્યમાં હાલ  318 એક્ટિવ કેસ છે, જેમાંથી 8 લોકો વેન્ટિલેટર પર અને 310 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 8.17.203 ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે  આજે રાજ્યમાં કોરોનાથી એકપણ  એક દર્દીનું મૃત્યુ થયું નથી, રાજયમાં કુલ મૃત્યુઆંક 10.094 થયો છે

   રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 45 કેસમાં અમદાવાદમાં 15 કેસ, વડોદરામાં 8 કેસ,સુરતમાં 7 કેસ, આણંદમાં 3 કેસ, નવસારી. વલસાડ  અને રાજકોટમાં 2-2 કેસ, ભાવનગર,ગાંધીનગર,જામનગર,ખેડા, મહેસાણા અને પોરબંદરમાં 1-1 કેસ નોંધાયો છે

(7:45 pm IST)