Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd December 2019

વિશ્વ વિકલાંગ દિવસે વિરમગામમાં વિકલાંગોએ વિવિધ માંગણીઓને લઇને મામલતદારને આવેદનપત્ર પાઠવ્યુ

( વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા ) વિરમગામ: ૩ ડિસેમ્બર વિશ્વ વિકલાંગ દિવસે વિરાટ સાર્વજનિક વિકલાંગ ટ્રસ્ટ,વિરમગામ અને વિકલાંગ ભાઈઓ બહેનો દ્વારા તાલુકા સેવા સદન ખાતે મામલતદારને  આવેદનપત્ર પાઠવવામાંઆવ્યું હતુ.

              વિરાટ સાર્વજનિક વિકલાંગ ટ્રસ્ટ વિરમગામ દ્વારા આયોજિત વિશ્વ વિકલાંગ દિવસ નિમિત્તે વિરમગામ તાલુકા સેવા સદન ખાતે ભેગા થઈ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં 40% દિવ્યાંગતા ધરાવનારને પણ પેન્શન મળે, દિવ્યાંગ પેન્શન માં પાંચ હજારનો વધારો કરવામાં આવે, બીપીએલ વ્યાખ્યામાંથી દિવ્યાંગોને મુક્તિ આપવામાં આપવામાં આવે, દિવ્યાંગોને અંત્યોદય યોજના થકી મળવાપાત્ર લાભ મળે, દિવ્યાંગો માટે આવાસ યોજના તાલુકા મથકેથી પ્રાપ્ત થાય, સરકારી તથા પ્રાઇવેટ કંપનીઓમાં દિવ્યાંગોને નોકરીનો લાભ મળે સહિતની વિવિધ માંગણીઓ કરવામાં આવી હતી.

(7:13 pm IST)