Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd December 2019

સુરતમાં ધર્મગુરૂના દર્શન માટે દુનિયાભરના વ્હોરા બિરાદરો ઉમટયા

 જસદણ તા. ૩: પ્રગતિશીલ દાઉદી વ્હોરા સમાજનાં ધર્મગુરૂ ડો. સૈયદના અબુ જાફરૂસ્સાદીક આલીકદર મુફદ્દલ સૈફૂદીન (ત.ઉ.શ.) પોતાનો અને તેમના સદ્દગત પિતા બુરહાનુદ્દીન સાહેબના જન્મ દિવસ તથા સહરો, નિકાહ, મિસાક, જીયાફત, સમુહ શાદી, નમાજ, જીયારત જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમો માટે ૧૯ દિવસ સુરત પધારી રહ્યાં છે. ત્યારે દેશ અને દુનિયાના મોટા ભાગના તેમના અનુયાયીઓ સુરત આવી ગયાં છે.

સૈયદના સાહેબ આજે સાંજે રેલ્વે દ્વારા સુરત આવી ઝાંપા બજાર સ્થિત મસ્જિદે મોઅઝઝમનાં નમાજ પઢાવી જીયારત કરી અને ઠુમ્મસમાં આરામ કરી પછી ધાર્મિક કાર્યક્રમોની હારમાળા થશે. આ અંગે આજે સવારથી સુરત પોલીસે ટ્રાફીક ખોરવાય નહીં અને કોઇ ઘટના બને નહીં તે માટે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો છે.

(11:42 am IST)