Gujarati News

Gujarati News

News of Monday, 3rd December 2018

ઉમરેઠના હમીદપુરા રિક્ષામાં ગાયને કતલખાને લઇ જવાતા 3 નરાધમો રંગે હાથે ઝડપાયા

ઉમરેઠ: તાલુકાના હમીદપુરા ગામે રીક્ષામાં ઠાંસીને કતલખાને લઈ જવાતા ગૌવંશને પોલીસે ત્રણ શખ્સો સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પશુધારાની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 
પ્રાપ્ત વિગતોમાં મળેલ બાતમીના આધારે ઉમરેઠ પોલીસે હમીદપુરા નહેર પાસે વોચ ગોઠવી હતી. જેમાં નહેર પાસેની નર્સરીથી બેચરી તરફ જતી સી.એન.જી. રીક્ષા નં. જીજે ૨૩ ઝેડ ૭૮૫૨ને પોલીસે અટકાવી હતી. રિક્ષાની પાછળની સીટમાં બે વાછરડાઓને બાંધી રાખીને તેમની ઉપર કાપડ ઢાંકી દેવાયું હતું. પોલીસને રીક્ષામાં વાછરડા ભરી જતાં ત્રણ શખ્સોની તપાસ હાથ ધરી હતી. જેમાં રીક્ષાનો ચાલક સજ્જાદ માનભાઈ કુરેશ(રહે. ભાલેજ કુરેશવાડી) તથા પાછળ બેઠેલા શખ્સોમાં આશીકખાન મહેબૂબખાન પઠાણ (રહે. સુરેલી ઈન્દિરા નગરી) અને તૌસિફભાઈ રહેમાનભાઈ કુરેશ (રહે. ભાલેજ કુરેશવાડી)ને ઝડપી પાડ્યા હતા. જે કતલના ઈરાદે રીક્ષામાં ભરી લઈ જતા હોવાનું ખુલવા પામ્યું હતું.આ અંગે પોલીસે પંચનામુ કરી રીક્ષાનો કબજો લઈ ત્રણ શખ્સોની પૂછપરછ હાથ ધરી હતી જેમાં એકના રૂા. ૩ હજાર લેખે બે વાછરડાની કિંમત રૂા. ૬ હજારનો મુદ્દામાલ કબજે લીધો હતો અને વાછરડાઓને પોલીસ મથકે લવાયા હતા. 

(5:48 pm IST)