Gujarati News

Gujarati News

News of Monday, 3rd December 2018

સુરતના અડાજણમાં નજીવી બાબતે તકરાર: ચાર નબીરાઓનો જવેલર્સ પર હુમલો

સુરત:અડાજણના એલ.પી.સવાણી રોડ પર મધરાતે ફોરવ્હીલ ગાડી રીર્વસ લેવા બાબતે થયેલા સામાન્ય ઝઘડામાં છાકટા બનેલા ચાર નબીરાઓએ ગાડી ચલાવનાર જેવલર્સને પેટ, છાતી, પાંસળી અને અન્ય ભાગે ચપ્પુના સંખ્યાબધ્ધ ઘા મારીને મોતને ઘાટ ઉતારવાની કોશિષ કરી હતી. આ નબીરાઓમાં એક પોલીસ કર્મચારીનો પુત્ર હોવાનું જાણવા મળ્યું છે. 

પાલનપુર પાટીયા દિનદયાળ સોસાયટીમાં રહેતા વિશાલ નિલકંઠભાઇ વાણી શનિવારની રાત્રે ૧૨-૩૦ વાગ્યાની આજુબાજુમાં મિત્ર પ્રતિક અતુલકુમાર ચોકસી (રહે.નવકારવિલા, દિપા કોમ્પલેક્ષ  રાંદેર) સાથે અડાજણ એલ.પી.સવાણી રોડ કોમો સેન્ટરની સામેના રોડ પર ઉભા હતા.અને ઘરે જવા માટે પ્રતિકે પાર્ક કરેલી ફોરવ્હીલ ગાડી રીવર્સ લેતો હતો. તે વખતે ચાર નબીરાઓની ફોરવ્હીલ ગાડી ત્યાં આવતા પાર્કિગને લઇને ઝઘડો થયો હતો. જેમાં ચારેય નબીરાઓ મોટે-મોટેથી બુમ-બરાડા પાડતા હતા. જેથી પ્રતિકે અવાજ કરવાની ના પાડતા ઉશ્કેરાઇ જઇને ગાળ ગલોચ કરવા લાગ્યા હતા. 

(5:44 pm IST)