Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વિક્રમ સંવત ૨૦૭૮ ના નૂતન વર્ષ પ્રારંભના દિવસે ગાંધીનગર-અમદાવાદમાં પ્રજાજનો સાથે શુભેચ્છાની આપ-લે કરશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દિપાવલી-નૂતનવર્ષ નિમિત્તે શુભેચ્છા-સ્નેહમિલન કાર્યક્રમોમા ઉપસ્થિત રહેશે

રાજકોટ તા.૩ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ વિક્રમ સંવત ર૦૭૮ના પ્રારંભ દિવસે તારીખ ૫ નવેમ્બર ,શુક્રવારે સવારે ૭:૦૦ કલાકે ગાંધીનગરમાં પંચદેવ મંદિરના દર્શન કરી નૂતન વર્ષનો પ્રારંભ કરશે ત્યારબાદ  તેઓ ૦૭:૨૫ વાગ્યે અડાલજ ખાતે ત્રિમંદિરમાં દર્શનપુજા માટે જશે 

.  મુખ્યમંત્રી શ્રી  ત્યાર બાદ નૂતન વર્ષ નિમિત્તે મંત્રીમંડળ નિવાસ સંકુલમાં આવેલા કોમ્યુનીટી સેન્‍ટર ખાતે સવારે ૮:૦૦ થી ૮:૪૫ સુધી નાગરિકો-પ્રજાજનો સાથે નૂતન વર્ષાભિનંદન અને શુભેચ્છાઓનું આદાન-પ્રદાન કરશે.

   શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સવારે ૧૦:૪૫ થી ૧૧:૪૫ કલાક સુધી અમદાવાદમાં એનેક્ષી સરકીટ હાઉસ, શાહીબાગ ખાતે નાગરિકો સાથે નવા વર્ષની શુભેચ્છાઓની આપ-લે કરશે. 

તે પૂર્વે મુખ્યમંત્રીશ્રી ૧૦:૨૦ વાગ્યે અમદાવાદમાં ભદ્રકાળી માતાના મંદિરે દર્શનાર્થે પણ જવાના છે. 

મુખ્યમંત્રીશ્રી નૂતન વર્ષ દિવસે બપોરે ૧૧:૫૦ કલાકે શાહીબાગ ડફનાળા ખાતે પોલીસ ઓફિસર્સ મેસમાં વરિષ્ઠ પોલીસ અફસરો અને તેમના પરિવારોને નૂતનવર્ષની શુભકામનાઓ પાઠવવા ઉપસ્થિત રહેવાના છે.

 

(4:54 pm IST)