Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

રાજપીપળાના ના.મામલતદાર કરણસિંહ રાજપૂતને મામલતદાર તરીકે બઢતી સાથે હિંમતનગર મુકાયા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : સરકારે તાજેતરમાં 118 જેવા નાયબ મામલતદારને બઢતીની હુકમ કરતા તમામને મામલતદાર તરીકે નો અલગ અલગ જિલ્લામાં ચાર્જ સોપાયો હોય જેમાં 30 વર્ષથી રાજપીપળામાં ક્લાર્ક બાદ નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા કરણસિંહ રાજપૂત કે જેઓ ખૂબ નિષ્ઠ્ઠા પૂર્વક નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળામાં અલગ અલગ વિભાગોમાં કામગીરી કરી રહ્યા હતા તેમની પણ બઢતી સાથે મામલતદાર ચૂંટણી કલેકટર કચેરી હિંમતનગર,જી સાબરકાંઠા ખાતે હુકમ થયો છે.

કરણસિંહ રાજપૂતએ રાજપીપળામાં ક્લાર્ક તરીકે પોતાની ફરજ બજાવ્યા બાદ નાયબ મામલતદાર તરીકે  પુરવઠા,ચૂંટણી સહિતના વિભાગોમાં પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવી છે.

(10:30 pm IST)