Gujarati News

Gujarati News

News of Sunday, 3rd November 2019

જિલ્લા પ્રમુખ અને જિલ્લા સમિતિની સંરચના કરાશે

ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીના અધ્યક્ષતામાં બેઠક યોજાઈ : ૧૦ નવેમ્બર સુધી સ્નેહમિલનના કાર્યક્રમો : ભાજપા પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યા

અમદાવાદ,તા.૨ : ભાજપા પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ પત્રકાર મિત્રોને નૂતન વર્ષ ૨૦૭૬ તેમજ છઠ્ઠ પૂજાની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યુ હતુ કે, આજરોજ ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં તથા મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ભાજપા પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે સવારે ૧૦.૩૦ કલાકથી ભાજપાના સંગઠન પર્વ સંદર્ભે ''પ્રદેશ બેઠક'' યોજાઇ હતી. પંડ્યાએ વિસ્તૃત માહિતી આપતા જણાવ્યુ હતુ કે, આ પ્રદેશ બેઠકમાં ગત કાર્યક્રમોનું રિપોટલ્લગ તેમજ સંગઠન સંરચના સંદર્ભે આવનારી તારીખ ૧ નવેમ્બર થી ૧૦ નવેમ્બર સુધી મંડલ સઃ સંરચના શરૂ કરવામાં આવનાર છે. બૂથ સમિતિની રચના તમામ મંડલમાં પૂર્ણ થઇ ચૂકી છે. તારીખ ૧૫ નવેમ્બરથી જીલ્લા પ્રમુખ અને જીલ્લા સમિતિની સંરચના શરૂ કરવામાં આવશે. ત્યારબાદ કેન્દ્રીય સંગઠનના માર્ગદર્શન મુજબ આવનાર ડીસેમ્બર મહિના દરમ્યાન પ્રદેશ પ્રમુખ અને પ્રદેશ સમિતિની સંરચના કરવામાં આવશે. નૂતન વર્ષ નિમિત્તે તારીખ ૨૮ ઓક્ટોબર થી ૧૦ નવેમ્બર સુધી સ્નેહમિલન કાર્યક્રમો યોજાશે.

                   આ સ્નેહમિલનમાં પ્રદેશના હોદ્દેદારઓ, પ્રભારીઓ, મંત્રીઓ તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓ કાર્યકરોને માર્ગદર્શન આપશે. આ સ્નેહમિલનમાં ૩૭૦ની કલમ નાબૂદ કરવા સંદર્ભે, નમામિ દેવી નર્મદે અને ત્રણ વર્ષ દરમ્યાન પ્રદેશ સંગઠન દ્વારા થયેલ કાર્યક્રમોની પ્રદર્શની દર્શાવવામાં આવશે. આ પ્રદેશ બેઠકમાં પ્રદેશ હોદ્દેદારઓ, મોરચાના પ્રદેશ પ્રમુખઓ, જીલ્લા/મહાનગરના પ્રભારીઓ, જીલ્લા/મહાનગરના પ્રમુખ-મહામંત્રીઓ, સંગઠન પર્વના પ્રદેશ અને ઝોન ઇન્ચાર્જ-સહઇન્ચાર્જઓ, સંગઠન પર્વના જીલ્લા/મહાનગરના ઇન્ચાર્જઓ તથા પ્રદેશ દ્વારા નિયુક્ત કરેલ જીલ્લા/મહાનગરના સંરચના અધિકારીઓ તથા સહ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાતેમ પંડ્યાએ અંતમાં જણાવ્યુ હતુ.

(8:46 pm IST)