Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018

સાબરમતી જેલમાં શ્રીફળ લઇ જવા પરથી પ્રતિબંધ હટાવતી ગુજરાત હાઇકોર્ટ

અરજદારે કહ્યું જેલમાં શ્રીફળ લઇ જવું હાનિકારક નથી ;કોર્ટે અરજી ગાહ્ય રાખતો આપ્યો ચુકાદો

અમદાવાદ :ગુજરાત હાઇકોર્ટે સાબરમતી સેન્ટ્રલ જેલમાં શ્રીફળ લઇ જવા પરથી પ્રતિબંધ હટાવ્યો છે. આ પહેલા જેલમાં શ્રીફળ લઈ જવાની મનાઈ હતી. આ મામલે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવતા કોર્ટે શ્રીફળ પર મુકવામાં આવેલા પ્રતિબંધને હટાવવામાં આવ્યો છે

  કોર્ટમાં અરજદારે જણાવ્યુ હતુ કે, જેલમાં શ્રીફળ લઇ જવું હાનીકારક નથી. જે બાદ કોર્ટે અરજદારની અરજીને ગ્રાહ્ય રાખતા ચુકાદો આપ્યો હતો

(11:00 pm IST)