Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

રાજ્યમાં કોરોના ધીમો પડ્યો: નવા 85 કેસ નોંધાયા:વધુ 86 દર્દીઓ સાજા થયા:આજે એક દર્દીનું મૃત્યુ થયું :મૃત્યુઆંક 11.035 થયો :કુલ 12.63.084 લોકોએ કોરોનાને હરાવ્યો

મોટાભાગના કેસ અમદાવાદ અને સુરતમાં નોંધાયા:રાજયમાં હાલમાં 808 કોરોનાનાં એક્ટીવ કેસ :શહેર અને જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ:ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 85 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 86 દર્દીઓ સ્વસ્થ થયા છે.અત્યાર સુધીમાં કુલ 12,63.084 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.આજે રાજ્યમાં કોરોનાથી એક દર્દીનું મૃત્યુ થયું છે, સાબરકાંઠામાં એક દર્દીનું મૃત્યુ થયું છે, રાજયમાં  કુલ મૃત્યુઆંક 11,035 થયો છે ,રાજ્યમાં કોરોનાનો રિકવરી દર 99.07 છે

 રાજ્યમાં હાલ 808 એક્ટિવ કેસ છે.જેમાંથી 4 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 804 દર્દીઓ સ્ટેબલ છે.  .

  રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 85 કેસમાં અમદાવાદમાં 24,સુરતમાં 21, વડોદરામાં 16, ગાંધીનગરમાં 4, મહેસાણામાં 3, રાજકોટમાં 3, ભાવનગરમાં 2, ગાંધીનગરમાં 2, સુરત જિલ્લામાં 2, સુરેન્દ્રનગરમાં 2, જુનાગઢમાં 1, કચ્છમાં 1, પંચમહાલમાં 1, પાટણમાં 1 અને વલસાડમાં 1 કેસ નોંધાયો છે

(8:17 pm IST)