Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

રાજ્યમાં બાળકીનો જન્મ દર ખુબ ઓછો: રાજ્ય સરકાર નવદુર્ગા બાલિકા પૂજન કાર્યક્રમ કરશે

આંગણવાડીની 9 લાખ બાળકીનું પૂજન કરાશે : ગોળ,ખજુર,ચીકી સુખડી જેવી વસ્તુ પણ આપવા પ્રયાસ

 

અમદાવાદ : રાજ્યમાં બાળકીનો જન્મ દર ઓછો છે જે અંગે રાજ્ય સરકાર ચિંતિત છે સરકાર અને સંગઠન દ્વારા નવદુર્ગા બાલિકા પૂજન કાર્યક્રમ યોજશે

 રાજ્યમાં સેક્સ રેશિયો ઉંચો છે તો દીકરા અને દીકરી વચ્ચેનો ભેદભાવ પણ ઘણા સ્થળો પર જોવા મળી રહ્યો છે ત્યારે ભેદભાવને દૂર કરવા સેક્સ રેશિયો ઘટાડવા અને બાળકીઓને પોષણ ક્ષમ આહાર મળે શારીરિક અને અભ્યાસગત વિકાસ થાય તેના માટે સરકાર કાર્યક્રમ હાથ ધરશે.
રાજ્યમાં બાળકીનો જન્મ દર ખુબ ઓછો છે જેને લઈને ગત વિધાનસભા સત્ર દરમિયાન મુખ્યમંત્રી વિજયભાઈ  રુપાણીએ ચિંતા વ્યક્ત કરી હતી અને સૌને સાથે મળી અંગે કામ કરવા માટે સુચન કર્યું હતું. બીજી તરફ રાજ્યના ઘણા એવા વિસ્તારો છે જેમાં બાળકો હજી પણ કુપોષણનો ભોગ બની રહ્યા છે.
રાજ્યમાં કુપોષણનો આંક લાખ ૪૨ હજારને પાર જઈ રહ્યો છે ત્યારે બાળકીમાં કુપોષણનો દર ઘટે બાળકીઓને પોષણક્ષમ આહાર મળી રહે અને અભ્યાસ માટે પણ પરિવાર દ્વારા પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે બીજી તરફ દીકરા અને દીકરી વચ્ચેનો ભેદભાવ પરિવાર ભૂલે તેના માટે સરકાર દ્વારા વધુ એક પ્રયાસ હાથ ધરવામાં આવનાર છે. મહિલા અને બાળ વિકાસ વિભાગને સરકારે સુચના આપતા વિભાગ દ્વારા આંગણવાડી ખાતે જતી બાળકીઓનું પૂજન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે જે અંગેનો પરિપત્ર પણ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મોકલી દેવામાં આવ્યો છે.
રાજ્યમાં લગભગ ૫૪ હજાર જેટલી આંગણવાડી આવેલી છે જેમાં અંદાજે લાખ બાળકીઓ જતી હશે જેનું પૂજન કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. કાર્યક્રમનું નામ નવદુર્ગા બાલિકા પૂજન રાખવામાં આવ્યું છે જે અંતર્ગત તમામ બાળકીઓનું પૂજન કરવામાં આવશે અને પોષણ ક્ષમ આહાર એટલે કે ગોળ,ખજુર,ચીકી સુખડી જેવી વસ્તુ પણ આપવા પ્રયાસ કરવા સુચના આપવામાં આવી છે.

(11:36 pm IST)