Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

ફરાહ અલી ખાન ભાવનગરમાં પોતાનું કલેકશન પ્રદર્શિત કરશે

અમદાવાદઃ સેલિબ્રટી જવેલરી ડિઝાઇનર, ફરાહ ખાન અલી પોતાના ફાઇન જવેલરી કલેકશન, લાઇફ સ્ટાઇલ એન્ડ ગિફિટંગ કલેકશન અને સિગ્નેચર કોફી ટેબલ બુક ફરાહ ખાનએ બેજવેલ્ડ લાઇફને પહેલીવાર હોટલ એફ સી સરોવર પોર્ટિકો, ભાવનગરમાં પ્રદર્શિત કરશે. તેમને ઇન્ડસ્ટ્રીમાં રપ વર્ષ પુરા થઇ ચુકવ્યા છે. આ કલેકશન કાર્યક્રમ સ્થળ ઉપર પ્રદર્શિત કરવામાં આવશે. ફરાહ ખાન ફાઇન જવેલરી ફરાહખાન અલી એક પ્રોસટ્ર જવેલરી ડિઝાઇનર અને જેમોલોજિસ્ટ છે. તેમને ૧૯૯રમાં સાન્તા મોનીકા કેલિફોર્નિયામાં જેમોલોજિકલ ઇન્સ્ટિટયુટ ઓફ અમેરિકામાં જેમોલોજીમાં કોર્ષ કર્યો તેમણે ગ્રજયુએશનમાં પોતાની કક્ષામાં ટોપ કર્યુ હતુ. ફરાહખાન પોતાના વિચારોને નિપુણતા અને ઉતમ રત્નોથી આભુષણોમાં ઢાળે છે. ફરાહ ખાન બ્રાન્ડ આજે ડિઝાઇન, વિવરણ, સાદગી અને ઉત્કૃષ્ટતાનું પ્રતીક છે. આ બ્રાન્ડનું લેબલ એક મહિલાની આ ભાવનાનું જશ્ન મનાવે છે. જે પોતાની જીંદગી જીવવાનું પસંદ કરે છે અને પોતાને પ્યાર કરવાનું પસંદ કરે છે.

આ લિમિટેડ એડિશનનાં ઘરેણાની એક શ્રેણી હશે જે તેમને મંત્રમુગ્ધ કરી દેશે. ફરાહખાને પોતાની રચનાત્મક દુનિયાનો વિસ્તાર લાઇફસ્ટાઇલ ઉત્પાદનો અને ફરાહખાન વર્લ્ડના લોન્ચની સાથે કર્યા છે. આ એક ડિજિટલ ડેસ્ટિનેશન છે. જે તમને તેમના જીવનની એક વિશેષ ઝલક દેખાય છે. ફરાહખાનની લાઇફસ્ટાઇલ રેન્જ બ્રાઇડલ અને ફેસ્ટિ ગિફિટંગ પર કેન્દ્રત છે. આ નવી લાઇનને વિશેષ રૂપથી રત્નોથી સજોલ ઉત્પાદનો સાથે લેબલ ડિઝાઇન એસ્થેટિક પ્રેરણા અને મોનોગ્રામને ધ્યાનમાં રાખતા બનાવવામાં આવ્યું છે.

(1:06 pm IST)