Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

સ્વચ્છ ભારત પ્રદર્શન ચોથી સુધી ચાલશે....

રિવરફ્રન્ટ ખાતે પ્રદર્શનનું આયોજન

સ્વચ્છ ભારત દિવસની ઉજવણી વડાપ્રધાનની ઉપસ્થિતિમાં સાબરમતી રીવરફ્રન્ટ ખાતે થઈ રહી છે, ત્યારે કેન્દ્ર સરકારના પેયજળ અને સ્વચ્છતા મંત્રાલય દ્વારા આયોજિત સ્વચ્છ ભારત પ્રદર્શન તા.૪ થી ઓકટોબર સુધી લંબાવાયું છે એમ, પેયજળ મંત્રાલય દ્વારા જણાવાયુ છે. રીવરફ્રન્ટ ખાતે આયોજિત આ પ્રદર્શન સવારે ૧૦.૦૦ થી સાંજે ૬.૦૦ કલાક દરમિયાન નિહાળી શકાશે જેનો નાગરિકોને લાભ લેવા અનુરોધ છે. આ પ્રદર્શનમાં પૂજય ગાંધીજીના સ્વચ્છતા સંદર્ભેના વિચારોને ડીઝીટલાઈઝ કરીને રજૂ કરાયા છે. તેને એક વાર નિહાળવું અનેરો લ્હાવો છે.

        દરમિયાન સત્ય, અહિંસા, પ્રેમ અને કરુણાને વરેલા તથા અંત્યજોના ઉદ્ધારક, અસ્પૃશ્યતા નિવારક, નશાબંધી, સ્વાવલંબન અને સ્વદેશીનો વંટોળ ઉભો કરનાર મહાપુરુષ અને ગ્રામોદ્ધારક પૂજ્ય મહાત્મા ગાંધીજીના ૧૫૧મા જન્મદિવસ નિમિત્તે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય શંભુ ઠાકોર અને ગાંધીનગરના મેયર રીટાબેન પટેલ દ્વારા વિધાનસભા પટાંગણમાં આવેલી પૂજ્ય મહાત્મા ગાંધીજીની પ્રતિમાને અને વિધાનસભા ગૃહ ખાતે તેમના તૈલચિત્રને પુષ્પાંજલિ આપીને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા.

(10:21 pm IST)