Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્રના 26 ડેમો છલકાયા :રાજ્યના મોટાભાગના જળાશયોમાં પાણીની આવક

અમદાવાદ : રાજ્યભરમાં મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે. પાછલા કેટલાક દિવસથી ક્યાંક ધોધમાર તો ક્યાંક ઝરમર ઝરમર મેઘરાજા વરસી રહ્યાં છે. ભારે વરસાદથી રાજ્યના લગભગ તમામ ડેમોમાં પુરતા પાણીની આવક થઇ છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદથી એક જ રાતમાં સૌરાષ્ટ્રના 26 ડેમ છલકાઇ ગયા છે. તો હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

(11:20 am IST)