Gujarati News

Gujarati News

News of Monday, 3rd September 2018

આણંદના ભાલેજમાં ત્રણ ઈસમો સગીરાને ભગાડી જતા ચકચાર

આણંદ:જિલ્લાના ભાલેજ તાબે જાખલા ગામે એક સગીરાને ત્રણ ઈસમો દ્વારા ભગાડી જતા ચકચાર મચી છે. ત્રણ ઈસમોએ ફિલ્મી ઢબે આ સગીરાને રીક્ષામાં જબરજસ્તી બેસાડી લઈ જતા તેના પરીવારજનોએ અપહરણની શંકા જતા તેણીની શોધખોળ કરતા મળી ન આવતા ત્રણ ઈસમો સામે ભાલેજ પોલીસ મથકે એફઆઈઆર નોંધાવામાં આવી હતી. જ્યારે પોલીસે એક ઈસમ અને તેના બે મિત્રો સામે કાયદેસરની તપાસ હાથધરી હતી.

આ ઘટનામાં ભાલેજ પોલીસના જણાવ્યા મુજબ જાખલા ગામે આવેલ હરિજન વાસમાં રહેતી એક સગીરાને ગઈ તા. ૩૦-૮-૨૦૧૮ના રોજ ભગાડી જતા ચકચાર મચી હતી. ઉક્ત તારીખે સાંજના સુમારે અજય રમેશભાઈ પરમાર તથા તેની સાથે બીજા બે ઈસમો જાખલા ગામે આવ્યા હતા. આ ઈસમોએ સગીરાને જબરજસ્તી રીક્ષાનં જીજે ૨૩ ઝેડ ૧૫૯૪માં બેસાડી અપહરણ કરી લઈ ગયા હતા.

 

(2:39 pm IST)