Gujarati News

Gujarati News

News of Monday, 3rd September 2018

IIT એન્જિનિયર પંકજ જૈને 18 વર્ષ પહેલા 300 બાળકો સાથે અમદાવાદમાં જ્ઞાનશાળાની શરૂઆત કરી હતી

ગ્રેટ-અત્યાર સુધી કુલ 2 લાખ બાળકો આ પ્રોજેક્ટ હેઠળ ભણી ચૂક્યા

અમદાવાદ :આઈઆઈટી એન્જિનિયર પંકજ જૈને 18 વર્ષ પહેલા અમદાવાદથી જ્ઞાનશાળા પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. મોંઘી સ્કૂલ અને મોટા-મોટા શિક્ષકો પાસે અભ્યાસ ન મેળવી શકે એવા બાળકો સુધી ગુણવત્તાપૂર્ણ શિક્ષણ પહોંચાડવાનો તેમનો આશય હતો. અમદાવાદના સ્લમના 300 બાળકોની નોંધણી સાથે પ્રોજેક્ટ શરૂ થયો હતો. અત્યાર સુધી કુલ 2 લાખ બાળકો આ પ્રોજેક્ટ હેઠળ ભણી ચૂક્યા છે.

(2:08 pm IST)